
જંતરમંતરનું રામયંત્ર આકાશમાં રહેલા કોઈ તારા કે ગ્રહનું સ્થાન બતાવે છે. રામયંત્રમાં બે વર્તુળાકાર દીવાલોની બે ઈમારતો છે. દીવાલોમાં થોડા થોડા અંતરે બાકોરા છે. આ બાકોરામાંથી તારા કે ગ્રહનું દર્શન થાય છે.
ઈમારતની વચ્ચે એક થાંભલો છે. તેની ટોચે દોરી બાંધેલી છે. આ દોરીનો બીજો છેડો હાથમાં પકડી આધા પછી દોરીની સીધમાં આવતા ગ્રહ કે તારાને જોવાના હોય છે.
દોરીની સીધમાં દેખાતો તારો કયા સ્થાને છે તે જાણવું હોય તો દોરીના બીજા છેડાની સીધી રેખામાં દીવાલ પર જોવાનું જ્યાં તે તારાનું નામ અને સ્થાન લખેલા જોવા મળે. દીવાલ તેમજ ફર્શ ઉપર પણ તારાના સ્થાન લખેલા હોય છે.
